Raj Mistry's world

Me,my stories and world around….

Image


Leave a comment

BAPS રવિસભા-15/03/26

હવે ઉનાળો ભરપૂર બેઠો છે….માર્ચ માં જ તાપમાન નો કાંટો 43 સુધી પહોંચી ગયો છે અને જીવમાત્ર શીતળતા ની શોધ માં ભાગમભાગી કરી રહ્યા છે….આપણે તો શામળિયો રાજી છે….ઘેરબેઠા ઠંડક ના દરિયા ભરી દીધા છે…..શરીર ને ય ઠંડક અને હૈયા ય ટાઢાબોળ…! બસ એ સર્વે કારણ નો કારણ હૈયે વસ્યો છે એટલે બધે જ સુખ છે……ચાલો એ શ્રીહરિ ના આજના દર્શન કરી ને અખંડ શીતળતા ને પામીએ…

Image
Image
Image
Image

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..એ પછી એ જ સંત ના મુખે BAPS ના આદ્ય સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા ને ઉજાગર કરતું…” સ્વામીજી તો મહા પ્રતાપી એનું ધાર્યું થાય….”  ભક્તકવિ છગન દાસ રચિત પદ રજૂ કર્યું…..! માત્ર 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો પણ હૈયા માં હરિકૃષ્ણ મહારાજ …..અને શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસે પાછું વળી ને જોયું નથી….!!! આને કહેવાય…ભગવાન નું ધાર્યું થવું…!! અને એ જ ભગવાન ના ધારક ગુણાતીત સંત દ્વારા આજે પણ એ કાર્ય થઈ રહ્યું છે…..આગળ પણ થતું રહેશે…! એ પછી નીરવ અને ધવલ દ્વારા ” સેવા….અલૌકિક સેવા….તે અક્ષરધામ ની સેવા…” નૃત્ય પદ રજૂ થયું….! અને મનોચક્ષુ સમક્ષ….BAPS ના લાખો નિષ્ઠાવાન કાર્યકરો ની સેવા ગાથા ઓ છવાઈ ગઈ…..શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા ના પાયા ભૂતળે નાખ્યા છે….સ્વયં શ્રીજી ની આ સંસ્થા હોય પછી તેની કઇ વાતે ખોટ હોય…??? જોગીબાપા ના સંકલ્પ મુજબ   અત્યારે સત્સંગ છે તેનાથી લાખ ગણો સત્સંગ હજુ થાશે…..! તૈયાર છો ને….યા હોમ કરવા…???

એ પછી આપણા અક્ષરધામ પ્રોજેકટ હેઠળ સુરત કનાદ માં આકાર પામી રહેલા વિશાળ 4 થા અક્ષરધામ ના નિર્માણ નો વીડિયો રજૂ થયો…..2019 માં શરૂ થયેલા આ દિવ્ય નિર્માણ યાત્રા હવે પુર્ણાહુતી ને આરે છે…..તેના નિર્માણ કાર્ય ની વિશેષ સેવા સંભાળી રહેલા પૂ. મુનિવંદન સ્વામી એ આ સમગ્ર પ્રોજેકટ વિશે જણાવતા કહયુ કે…..( સારાંશ માત્ર)

  • આ અક્ષરધામ નો સંકલ્પ આપણા ગુણાતીત ગુરુઓ અને સ્વયં શ્રીજી નો છે…2013 માં સદગુરુ સંત તરીકે પૂ.મહંત સ્વામી મહારાજ નાગપુર બિરાજમાન હતા એ સમયે ભૂતકાળ માં મુનિ વંદન સ્વામી ની પ્રમુખસ્વામી મહારાજ સાથે 2009 માં 58 મિનિટ સુધી મોટા મંદિર નો વિચાર ચર્ચાયેલો…એ વાત કરી….એ સમયે બાપા એ ભવિષ્ય ના એંધાણ આપી વાત ને સમય પર છોડી હતી….પણ એ જ વાત પર મહંત સ્વામી મહારાજે પોતાની સહમતી અને રાજીપો દર્શાવેલો….પછી તો વડીલ સંતો સાથે ચર્ચા વિચારણા શરૂ થઈ….જમીન અનેક જગ્યા એ લેવાઈ….અમુક કારણોસર પુનઃ વેચાઈ અને બીજે લેવાઈ….છેવટે કણાદ ગામે જમીન લેવાઈ અને મહંત સ્વામી એ કહ્યું તેમ (વીડિયો રજૂ થયો) 1000 વર્ષ નું વિચારી જમીન લેવાઈ….જગ્યા પણ 2018 માં , સ્વામીએ પોતે કેવળ નકશા પર અંગુલી નિર્દેશ કરી.. પસંદ કરી….! જમીન લેવા ના પ્રયત્ન શરૂ થયા….શરૂ માં મુશ્કેલ…અશક્ય જણાતું કાર્ય – ( કડવા પાટીદાર સમાજ ના અગ્રણી ધનેશભાઈ એ વિડીઓ માં આને ચમત્કાર જ કહ્યો) સફળ થયું…..જમીન મળી…! એની પાછળ કેવળ અક્ષરબ્રહ્મ ની જ કૃપા હતી…..બધી જમીન મળી પણ એક જમીન અનેક પ્રયત્નો પછી પણ મળે એમ નહોતી પણ મહંત સ્વામી એ કૃપા કરી તો એ જમીન સામે થી ઓછા ભાવે મળી…!!!
  • એ જમીન જ કેમ?? બીજી કોઈ કેમ નહીં?? એવા મુનિવંદન સ્વામી ના પ્રશ્ન માં મહંતસ્વામી એ કહ્યું કે આ પૃથ્વી નું સર્જન થયું…ત્યાર થી જ આ ભૂમિ અક્ષરધામ માટે આરક્ષિત છે…સ્વયં શ્રીજી મહારાજ નો જ આ સંકલ્પ છે..મોટા પુરુષો અને શ્રીજીમહારાજ નો સંકલ્પ છે કે અહીં મોટું મંદિર બનશે……એક વિડીઓ કલીપ રજૂ થઈ…નેનપુર થી કોરોનાકાળ માં થયેલા એક વિડીઓ કોન્ફરન્સ માં સ્વામી એ આ વાત સ્પષ્ટ કરી….! સદગુરુ ઇશ્વરચરણ સ્વામી ના એક વીડિયો માં પણ આ જ વાત થઈ….આ અક્ષરધામ એ કેવળ મહંત સ્વામી મહારાજ ના તીવ્ર સંકલ્પ થી જ થઈ રહ્યું છે…..આવો તીવ્ર સંકલ્પ મહંત સ્વામી એ ક્યારેય કર્યો નથી….માટે જ આ અક્ષરધામ સર્વોપરી બનશે….આના દર્શન કરી આપણે બધા ન્યાલ થઈ જશું….કૃતાર્થ થઈ જશું…!
  • અહીં 30000 વાહનો પાર્ક થઈ શકે એવું વિશાલ પાર્કિંગ હશે…..1 કિલોમીટર ની તો પરિક્રમા થશે….બોટરાઈડ, નીલકંઠ વરણી દર્શન,વોટર શો, સાંસ્કૃતિક પ્રદર્શન વગેરે થશે…..મુંબઇ IIT ના સિવિલ એન્જિનિયર વિભાગ ના હેડ પ્રોફ. યોગેશ દેસાઈ ,  જ્યારે અહીંના વિશાળતમ સભાખંડ – 20000 થી વધુ ની કેપેસિટી છે જેમાં કોઈ સેન્ટ્રલ સપોર્ટ નથી….જોઈ ને ખૂબ પ્રભાવિત થયા…! સુરત ના નિષ્ઠાવાન પુરુષ મહિલા કાર્યકરો ની રાત દિન ની સેવા અહીં ના અક્ષરધામ ના પાયા માં છે….અતુલ્ય છે…..! હાલ ના સ્ટેટસ નો વીડિયો રજૂ થયો અને દર્શન માત્ર થી હૃદય ગર્વ થી ઉભરાઈ ગયું….! આપણું બધું જ….સેવા..સમર્પણ…સત્સંગ….સંતો…હરિભક્તો..સંકલ્પ…. સંસ્થા..સત્પુરુષ….ભગવાન સર્વોપરી…. અજોડ..છે…..!!!! અદભુત…અદભુત….!!!

અદભુત…અદભુત….!!!

એ પછી પેરિસ ના વિશાળ મંદિર નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે…તેની માહિતી વીડિયો દ્વારા મળી…..2 થી 14 સપ્ટેમ્બર 26 માં બાપા ત્યાં ઉદ્ઘાટન માટે જવાના છે…મોટો ઉત્સવ થશે….ત્યાં જવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે…….!! પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ નું ભજન થશે…..એ સંકલ્પ હવે સાકાર થઈ રહ્યો છે….! સુરત અક્ષરધામ ને સેવા માટે નું આયોજન થશે….સર્વે એ પોતાનો સમય સેવા માં આપવો…..જાહેરાત થઈ કે- આવતા રવિવારે શ્રીહરિ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન છે….પંચ દિવસીય ઉત્સવ પણ છે….વધુ માહિતી પરા સભા માં સર્વે ને મળશે….

આવતા રવિવારે વિશિષ્ટ રવિસભા નો લાભ મળશે….એ જાહેરાત પછી પૂ.ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- સુરત નું અક્ષરધામ વિશાલ અને ભવ્ય હશે…..આ આપણા હિન્દૂ ઇતિહાસ માં અભૂતપૂર્વ દર્શનીય સ્થળ હશે….! આ બધું બાપા ના પ્રબળ સંકલ્પ થી જ થઈ રહ્યું છે…..સુરત ના હરિભક્તો એ તો આ અક્ષરધામ માટે  પોતાનું સર્વસ્વ કૃષ્ણર્પણ કરી દીધું છે…તન મન ધન થી અજોડ સેવા કરી રહ્યા છે….રોબિન્સ વિલ જેવુ જ વિશાલ અને ભવ્ય અક્ષરધામ આપણે અહીં ઘર આંગણે બનશે. આપણે ક્યાં થી ક્યાં પહોંચ્યા છીએ….બોચાસણ માં અતિ કઠિન સ્થિતિ વચ્ચે મંદિર બન્યું અને આજે આવા વિશાલ અને ભવ્ય મંદિર બને છે…..એ બધું આપણા ગુરુ અને ઇષ્ટદેવ ના સંકલ્પ બળે થઈ રહ્યું છે…..આવતા વર્ષે તેનું ઉદ્ઘાટન થશે….! સંકલ્પ સત્ય થયા છે…..આ બધું દિવ્ય..અલૌકિક છે…..દિવ્ય ઉપાસના…દિવ્ય સિદ્ધાંત મળ્યો છે…..! ગર્વ લેવો જોઈએ…..જીવન ધન્ય કરીએ…!

આજની સભા નો એક જ સાર હતો કે- જ્યારે સંકલ્પ સ્વયં પુરુષોત્તમ નારાયણ નો હોય પછી તેમાં ખોટ શાની હોય…!! એમનું કાર્ય એમના ગુણાતીત સંત દ્વારા ચાલુ જ રહેશે…પૂરું થશે જ….માટે જ ભગવાન ના આ કાર્ય નો નાનકડો તો નાનકડો…..હિસ્સો અચૂક બની લાભ લઇ લેવો……! બિલકુલ…પેલી રામાયણ ની ખિસકોલી ની જેમ…!!

ભગવાન ની ડિઝાઇન અઘરી છે પણ સત્પુરુષ નો હાથ પકડ્યો છે તો સહજ જ સમજાઈ જશે….!! જીવન નો સાર જ આ છે……સમજી રાખો…

અહીં તો હરિ ને મરજી એ જ આપણું પ્રારબ્ધ….!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-01/03/26

આજે ઘણા સમય બાદ પુનઃ રવિ સત્સંગ સભા નો લાભ મળ્યો અને અંતર ને સંતૃપ્તિ મળી….. છેવટે તો મારો શામળિયો જ સર્વે નું સમાધાન છે…..સંતૃપ્તિ નું કારણ પણ એ જ છે…..તો ચાલો એ રંગભીના ઘનશ્યામ ના દર્શન કરી અંતર ને એક એના જ રંગે રંગી દઈએ….

Image
Image
Image
Image

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……એ પછી ફુલદોલોત્સવ આવે છે એના પ્રસંગે ” રંગ લાગ્યો મને તારો રંગીલા રે…..” ભક્તકવિ દાસ શંકર દ્વારા રચિત પદ ની પ્રસ્તુતિ એક યુવક દ્વારા થઈ…..બ્રહ્મસત્ય….!! એક શામળિયા નો રંગ લાગે પછી જગત ના સર્વે રંગ ફિક્કા થઈ જાય છે….! એ પછી એ શામળિયા ની યથાર્થ ઓળખાણ કરાવનાર સંત નો મહિમા પૂ. વિવેકમુની સ્વામી દ્વારા “ભજી લે ભગવાન સાચા સંત ને મળી….” સદગુરુ પ્રેમાનંદ કૃત પદ રજૂ થયું….! ખરેખર ….સંત નો મહિમા અધ્યાત્મ માર્ગ માં અનન્ય છે…..જો જીવ સાચા સંત ને ઓળખી એના માં મન કર્મ વચન થી જોડાઈ જાય તો ….હરિ ક્યાંય છેટો નથી……બસ, પ્રત્યક્ષ જ છે…!!! હોળી એટલે ફાગણ પૂર્ણિમા….ભગતજી મહારાજ નો પ્રાગટય દિન….એ પછી ધવલ દ્વારા “માગો માગો ભગતજી આજ….માંગો તે દઈએ….” પદ રજૂ થયું. ભગતજી મહારાજ નું જીવન વૃતાંત એ નિષ્ઠાવાન થવાનું…સત્પુરુષ ની આજ્ઞા ..અનુવૃત્તિ મુજબ જીવી જવાનું સુવર્ણ ઉદાહરણ છે……બસ મારો જીવ સત્સંગી થાય- એ પ્રાર્થના ભગતજી મહારાજની પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી ના ચરણો માં હતી….! આપણે પણ આપણા ગુરુ પાસે એ જ માંગવા નું છે કે દેહ ની સાથે સાથે જીવનો પણ સત્સંગ થાય…..! એ પછી જૈમીન દ્વારા ” હોળી આઈ રે…આઈ રે…..શ્યામબિહારી….” પ્રેમાનંદ સ્વામી રચિત અવધ શૈલી નું અદભુત…જોશીલું કીર્તન સાંભળવા મળ્યું….! અને નજરો સમક્ષ સારંગપુર મધ્યે શ્રીજી અને સંતો હરિભક્તો વચ્ચે થયેલા રંગોત્સવ નું રંગભીનું ચિત્ર છવાઈ ગયું…..!! અને આ છબી જીવનભર વિસ્મૃત થાય તેમ નથી…..!!!

એ પછી પૂ.જનમંગલ સ્વામી જેવા પ્રખર વક્તા…વિદ્વાન સંત દ્વારા એમની આગવી રમુજી શૈલી માં “સખી સમજણ માં ઘણું સુખ છે” વિષય પર પ્રવચન થયું…જોઈએ સારાંશ….

  • સમજણ પાયા નો ગુણ છે…બજાર માં વેચાતી મળતી નથી પણ સત્સંગ માં એ મળે….એ જેટલી મળે એટલો માણસ સુખી…! ક્યારેક સમજણ હોય પણ ટાણે કામ ન લાગે…..સમજણ ગ્રહણ કરવા ની વાત છે…
  • કથાવાર્તા એ બધી માહિતી છે….તમે એમાં થી કેટલું ગ્રહણ કરો છે એ તમારા પર છે….જ્ઞાન તો ઘણું હોય પણ એનો સાર જીવન માં ઉતારવા નો છે. આપણા ગુરુઓ નું જીવન એ જ આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે….જો એમાં થી શીખીએ તો ય આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ….અનંત જન્મો ના પુણ્ય ભેગા થાય ત્યારે આવા ગુરુ મળે….આવો સત્સંગ મળે.
  • જેટલું મન ..અંતર શુદ્ધ તો નિર્ણય લેવાય એ પણ શુદ્ધ હોય……સદાયે સકારાત્મક…ગુણ ગ્રાહક  દ્રષ્ટિ…વિચારસરણી રાખવી…..તો સુખ જ સુખ થાય….કોઈનો ય અભાવ અવગુણ ન લેવો….જ્ઞાન નો સગવડિયો સાર ન લેવો…..સર્વે કર્તાહર્તા એક ભગવાન ને જ મનાય તો સુખદુઃખ નો ભાવ ન લાગે….થોડુંક સહન કરવું…નમતા રહેવું….પકડી ન રાખવું…….જતુ કરવું….
  • અંતર માં ખોટ હશે તો શાંતિ નહીં આવે….આપણા ગુણાતીત ગુરુઓ એ તો પોતાનું અપમાન કરનારા નું ય અહિત ઇચ્છયું નથી…..અભાવ અવગુણ લીધા નથી…..
  • ઘરસભા કરવી…તો ઘરના બધા પ્રશ્નો નું સમાધાન આપોઆપ મળી જશે…..

અદભુત સભા…..!!!

એ પછી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના વીડિયો પ્રવચન નો લાભ મળ્યો…..આપણું જ્ઞાન….આપણો સિદ્ધાંત સાચો છે…એના માટે અનેકો તકલીફો આવ્યા પણ બધુ સહન કરી ને આ સત્સંગ ફેલાવ્યો….એને જાળવવો…વધારવો…..ગુરુ આજ્ઞા માં દ્રઢ વર્તવું….

ગુજરાત સરકાર ના વિવિધ શિક્ષણ સંસ્થામાં સેવા કરતા આપણા બે શિક્ષક ને તેમની વિશિષ્ટ સેવા બદલ પસંદ કરવા માં આવ્યા છે…તેમનું સન્માન પૂ. ઇશ્વરચરણ સ્વામી દ્વારા થયું….

પૂ. ઇશ્વરચરણ સ્વામી દ્વારા પ્રસંગોચિત ઉદબોધન થયું…એમણે વાત કરી કે- નૈરોબી આફ્રિકા માં આપણા હરિભક્તો ની વિનંતી થી કુમુદભાઈ પટેલ આપણી સંસ્થા ની સાંસ્કૃતિક કાર્યક્રમ સેવા માં જોડાયા….અને એ પછી તો યોગીબાપા ની આજ્ઞા થી એમના સમાજ માં પ્રથમ એન્જીનીયર હોવા છતાં ગઢડા માં પ્રથમ 51 સાધુ ઓ થયા એમાં સાધુ ની દીક્ષા લીધી….રામચરણ સ્વામી નામ પડ્યું….હમણાં જ ગયા અઠવાડિયે ધામ માં ગયા છે….એ સારંગપુર સેવા માં છેક સુધી રહ્યા….આપણે પણ પૂ. રામચરણ સ્વામી ની જેમ સત્સંગ ની સેવામાં હોમાઈ જઈએ….

જાહેરાત થઈ કે આવતી સભા સવારે થશે…..અને સાંજે સારંગપુર ફુલદોલ ઉત્સવ થશે…જેનું જીવંત પ્રસારણ થશે….

Image

આજની સભા નો એક જ સાર હતો કે….સત્સંગ એ સમજણ જ છે…..જો સમજણ હશે તો જ સાચો સત્સંગ થશે…આપણો જીવ સત્સંગી થશે અને પરમ પદ ને પ્રાપ્ત થવાશે…..સુખી થવાશે…

માટે જ નિષ્કુળાનંદ સ્વામી એ કહ્યું છે તેમ…..સખી સમજણ માં ઘણું સુખ છે……

સદાયે સાથે રહેજો….સુખી રહેજો….

જય જય સ્વામિનારાયણ…

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-08/02/26

સ્વામિનારાયણ હરે….સ્વામીએ વાત કરી જે…

અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે:

એક તો ભગવાનનું ભજન કરવું ને

બીજું ભગવાનને સર્વકર્તા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું.

તે કહ્યું છે જે, 

…..દાસના દુશ્મન હરિ કે’દી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે….

————– —  

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની વાતો-1/148

હવે ધીરે ધીરે શરદ ઋતુ વિદાય લઈ રહી છે અને વસંત ઋતુ નો પ્રભાવ પ્રધાન થતો જાય છે…..ફુલદોલ ની મહેક હવે ધીરે ધીરે ગાઢ થતી જાય છે……ફાગણ હવે છેટે નથી…..! અને એ જ કેસરભીના ના દર્શન તો સદાય મન ને મોહી જાય છે…..વૈષ્ણવ હવેલીઓ અને વૃંદાવન માં તો ફુલદોલ ની શરૂઆત થઈ ગઈ છે….તો ચાલો જેના માટે એ બધું છે….એ રંગભીના ને હૃદય માં ભરી લઈએ…..આજના દર્શન….

Image
Image
Image

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……! સ્વામિનારાયણ ના રંગ લાગ્યા પછી બીજા કોઈ રંગ બાકી નથી….!!! એ પછી એક યુવકે ” રસિયાવર સુંદર શ્યામ …હસી ને બોલાવો રે….” સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન રજૂ કર્યું….! આ મનગમતા મહારાજ ને એક પળ પણ વેગળા રાખીએ તો તાળવું ફાટી જાય …એવી પીડા થાય તો જ ગુણાતીત થવાય…! એ પછી એક યુવકે ” વ્હાલા લાગો છો વિશ્વાધાર રે….સગપણ તમ સાથે….” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ કર્યું……અને સમજાયું કે સગપણ તો એક હરિવર નું જ સાચું….બાકી સર્વે ક્ષણભંગુર કાચું….!! એટલે જ તો આ ભક્તિ માર્ગ માં અઢળક પીડા ઓ…દુઃખ હોવા છતાં હજારો સંતો હરિભક્તો એ એક સહજાનંદ ખાતર પોતાનું સર્વસ્વ છોડ્યું…!! પછી એ જ સંત કવિ રાજ નું રચેલું કીર્તન ” રહેજો મારી આંખલડી આગે….” મિત્ર નીરવ વૈદ્ય દ્વારા પ્રસ્તુત થયું અને એ જ કેસરભીનો આંખો માં અંજાઈ ગયો…..!!! પછી જૈમીન અને નીરવ ની જોડીએ ” મારે સ્વામિનારાયણ ભજવા રે…..” પ્રસિદ્ધ જોશીલું પદ રજૂ કર્યું……અને સ્વામિનારાયણ સંપ્રદાય ની 200 વર્ષ ની ભક્તિ ગાથાઓ….ભક્તો ની નિષ્ઠા…સમર્પણ…અનન્ય ભક્તિ હૃદય સોંસરવી પસાર થઈ ગઈ…..!! કેવો તે ભક્તિ નો એ રંગ હશે કે અનેકો કષ્ટ પડ્યા….શિર કપાવ્યા…..લોકલાજ ના પડદા વચ્ચે આવ્યા….નાત બહાર થયા…હડધૂત થયા..અપમાનો થયા… ભૂખ તરસ માથે પડ્યા…. છતાં લેશ માત્ર પણ ફિક્કો ન થયો….ઉલટા નો જગતભરમાં  સુંગધ ની જેમ પ્રસરી ગયો….આજે બ્રહ્માંડ માં ડંકા વાગે છે…..સર્વોચ્ચ શિખરે વાવટા ફરકે છે……!! આ તો સ્વયં શ્રીજી નો સંકલ્પ છે …પછી એમાં કાઈ ઘટે???

આજે રાજકોટ થી પધારેલા પૂ.અક્ષર કીર્તિ સ્વામી જેવા પ્રખર વક્તા…વિદ્વાન સંત દ્વારા એમની રસાળ…રસપ્રદ શૈલી માં ” શાશ્વત સુખનો રાજમાર્ગ” વિષય પર પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર…..

  • મનુષ્ય જીવન સુખ અને દુઃખ વચ્ચે ઝૂલતું લોલક છે…..પંચવીષય ના સુખ ક્ષણિક છે….સમગ્ર દોડ એ આ સુખ પાછળ જ છે….આ સુખ વાસ્તવ માં “સુખ” છે?? જગત ના ફાલતુ સુખ પાછળ લોક ઘેલું થાય છે….પણ સુખ એ અંદર ની વાત છે…અને એ મન..અંતર ના સુખ ની વાત કોઈ કરતું નથી….મનદુરસ્તી માટે કેટલા પ્રયત્ન કરે છે…??
  • આપણે એક જીવન ના ક્ષેત્ર માં સફળ થઈ એ તો જરૂરી નથી કે બાકી ના ક્ષેત્ર માં પણ સફળ હોઈએ…! પરિસ્થિતિ બદલવા કરતા પોતે પરિસ્થિતિ અનુકૂળ થઈ જવું…..મન ના સુખ માટે સકારાત્મક અભિગમ જરૂરી છે….યોગીબાપા એનું જીવંત ઉદાહરણ હતા…..રામાયણ પણ એ જ સકારાત્મક અભિગમ નું ઉદાહરણ છે….મન સ્થિર હશે તો જીવન આનંદમય રહેશે. 
  • એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા સમજશું તો પરિસ્થિતિ ગમે તેવી હોય પણ  કાંઈ તકલીફ નહીં પડે…. એ જે કરશે એ સારું જ કરશે….આવો અભિગમ રાખશું તો સદાય નિર્ભય…શાંત…સુખી થાશું……

અદભુત….અદભુત…..!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- આપણે જીવન માં ડગલે પગલે …એક ભગવાન જ સર્વ કર્તાહર્તા છે..એમ સમજીએ તો દુઃખ ન થાય….આપણા ગુરુ ને સદાય સંભારવા…. ભગવાન નું સદાય ભજન કરતા રહેવું……ગુરુ અને ભગવાન પ્રત્યે નો વિશ્વાસ…સદાય રાખવો…આપણા ગુણાતીત ગુરુઓ ને અનેકો વિકટ પરિસ્થિતિ ઓ આવી પણ એ મહારાજ સ્વામી ને સદાય સાથે રાખતા તો એનું દુઃખ એમને લાગ્યું નહીં….! એમને આ વાત નો સદાય આનંદ રહેતો….! આપણે પણ એ જ કરવાનું છે. ..

પછી બાપુનગર મંદિર ના 25 વર્ષ પુરા થયા તો એ પ્રસંગે તે મંદિર માં સેવા આપી ચૂકેલા પૂ. સંતો દ્વારા પ.પૂ.ઇશ્વરચરણ સ્વામી નો સત્કાર ..અભિવાદન હારતોરા થી થયું….રાંદેસણ ગાંધીનગર કન્યા બોર્ડિંગ સ્કૂલ ના એડમિશન માટે જાહેરાત થઈ……….પૂ. વિવેકજીવન સ્વામી એ જાહેરાત કરી કે પૂ.ઇશ્વરચરણ સ્વામી ના પૂર્વશ્રમ ના નાના ભાઈ પ્રદીપભાઈ નું આજથી 5 દિવસ પહેલા ધામગમન થયું છે….બહુ જ મોટા હરિભક્ત હતા….તેમનું બેસણું સરદારધામ અમદાવાદ માં આવતા મંગળવારે ( ???) રાખ્યું છે….

આજની સભાનો એક જ સાર હતો……આપણે તો માથે ધણી ના ચાર હાથ છે…..સર્વોપરી ભગવાન અને એને મેળવનાર સમર્થ ગુરુ સાક્ષાત મળ્યા છે….પછી ફિકર કાહે કી??? હમ તમના…. તમ હમના…!!! અહીં તો હરપળ હરિ…..એ જ જીવન….!

આપણે જેટલા એ શામળિયા ના થાશું….એટલો જ એ આપણો થાશે….! બસ….આ જ સત્સંગ નો એકમાત્ર નિયમ……સ્વીકારો ન સ્વીકારો…તમારા હાથ માં..!!!

આપણે તો સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-01/02/26

ગયા બે રવિવાર સામાજિક વ્યવહાર ને લીધે સત્સંગ સભા વગર ગયા…..આજે પણ એવું જ હતું છતાં સમયસર સભામાં પહોંચી ગયા…..ઠાકોરજી ના દર્શન કરી ધન્ય થઈ ગયા……ધન્ય આ આંખલડી, જેણે નીરખ્યા સહજાનંદ….!! ચાલો એ ધન્યતા નો ગુલાલ કરીએ…..

Image
Image
Image
Image

સભાની શરૂઆત સદાય ની જેમ યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..ત્યારબાદ પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી ના મુખે ” સ્વામી ગુણાતીતાનંદ આજ…આવીને અઢળ ઢળ્યા….”અખંડાનંદ બ્રહ્મચારી રચિત પદ રજૂ થયું….!! આપણા સંપ્રદાય માં ગુણાતીત ને મૂળ અક્ષર બ્રહ્મ કહ્યા છે …કારણ કે એમણે પુરુષોત્તમ નારાયણ ને…એમના સ્વરૂપ ને….એમના મહિમા ને યથાર્થ ઓળખાવ્યા….પ્રસારાવ્યાં….!!!અને એ જ અવિનાશી ગુણાતીત પરંપરા આજે પણ પ્રગટ છે….મહંત સ્વામી મહારાજ રૂપે….અને એમના થકી..એ જ અક્ષર પુરૂષોત્તમ સિદ્ધાંત ના વાવટા જગત માં શિખરે ફરકી રહ્યા છે…! એ પછી એ જ પ્રગટ ગુણાતીત ના મહિમા ને પ્રગટ કરતું….” મુને મહંત સ્વામી મન ભાવીઆ….”પદ એક યુવક ના સ્વરે રજૂ થયું…! એ જ ધીર ગંભીર …શાંત…કરુણામય આંખો…દિવ્ય મુખારવિંદ …એ જ મરમાળુ હાસ્ય….અંતર માં છવાઈ ગયું…! એ પછી અન્ય એક યુવકે પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ ના આવતીકાલે ભવ્ય જન્મોત્સવ ના ઉપલક્ષ માં ” લાખ લાખ વંદન સ્વામી મહંત ને…” પદ રજુ કર્યું અને આવતીકાલ ના મહોત્સવ નો થનગનાટ અંતર માં છવાઈ ગયો…..! એ પછી એક યુવકે એ જ ઉત્સાહ અને ભક્તિ સાથે એ જ કીર્તન માં જ ” વ્હાલા મહંત સ્વામી ની જન્મજયંતિ આનંદે ઉજવાય…” ની કડી જોડી દીધી અને સમગ્ર સભા ઉત્સાહ માં આવી ગઈ….!! આનંદો….આનંદો…..!!!

એ પછી મહંત સ્વામી મહારાજ ની ઓળખાણ.. કાર્ય…મહિમા દર્શાવતો એક અદ્ભુત વિડિઓ દર્શન નો લાભ સૌને મળ્યો….(ઉદાહરણ તરીકે અન્ય એક વિડિઓ ની લિંક મૂકી છે…જે આવી જ અદ્ભુત છે)

https://youtu.be/7s1OeBc3lHw?si=enJeTcNjzW5yczZj

એ પછી મહંત સ્વામી મહારાજ ની સાથે વર્ષો સુધી વિચરણ કરનાર ..અતિ વિદ્વાન અને પ્રખર વક્તા એવા પૂ. આત્મસ્વરૂપ સ્વામી ના પ્રવચન નો લાભ મળ્યો..એ અત્યારે પુના મંદિર માં પોતાની સેવા આપી રહ્યા છે….જોઈએ સારાંશ માત્ર….

  • જેમ યોગી બાપા એ એક પ્રશ્ન ના ઉત્તરમાં કહ્યું હતું કે મારું મોટા માં મોટું કામ પ્રમુખ સ્વામી ઓળખાવ્યા તે…..એમ પ્રમુખ સ્વામી નું સૌથી મોટું કામ….મહંત સ્વામી ની ઓળખાણ કરાવી તે…! યોગી બાપા એ મહંત સ્વામી ને કહ્યું હતું કે ભગવાન તમારા દ્વારા પ્રગટ રહેશે….જે વાત એમણે વર્ષો સુધી છૂપી રાખી વર્ત્યા…!
  • મહંત સ્વામી ગુરુ પદે આવ્યા ત્યારે પૂછ્યું કે સ્વામી તમારો પરિચય કઈ રીતે આપવો?? એમણે ઉત્તર આપ્યો કે…દાસ ના દાસ…! નેનપુર માં દરેક સેવક સંતો ની રૂમ ને પગે લાગતા….. એમને સ્વપ્ન પણ આવા જ આવે….! નાના બાળકે બાપા ના માથે હાથ મૂકવા જીદ કરી તે બાપા એ સામે થી છૂટ આપી અને બાળકે એમને માથે હાથ મૂક્યો..!!
  • ગુરુ ને અખંડ યાદ કરે….!ગુણાતીત ના વધામણા સમયે નેનપુર માં ભવ્ય શોભાયાત્રા (માત્ર ૩૫ જણા હાજર હતા…) માં આત્મસ્વરૂપ સ્વામી ને હરિકૃષ્ણ મહારાજ ને લઈ ગોલ્ફકાર માં આગળ બેસાડ્યા અને પોતે ભક્ત ભાવે ગુણાતીત ની મૂર્તિ લઈ પાછળ ની સીટ માં બેઠા…! પોતાના ગુરુ ના જીવન ચરિત્ર ના નાના માં નાનો લેખ હોય તે પણ છોડે નહી…લેખક ને મનમાં દંડવત કરતા રહે…!! ભક્તો ના પ્રશ્નો ના સમાધાન માટે તો પોતાની દૈહિક ક્રિયાઓ ને પણ અવગણી દે…!
  • આફ્રિકા ના ભક્તરાજ સુભાષભાઈ ની અંતિમ ક્રિયા ઑનલાઇન સ્ક્રીન પર જોઈ અને એ સ્ક્રીન ની પણ બે પ્રદક્ષિણા કરી…! હરિભક્તો ને કોલ આપ્યો કે જેણે એકવાર પણ પ્રમુખ સ્વામી ના દર્શન કર્યા છે તેમને બ્રહ્મરૂપ કરવા છે….! મહંત સ્વામી ના દર્શને લોકો ના પંચવિષય છૂટી જાય છે…એમની બાયપાસ કરનાર લોભી (લોકવાયકા મુજબ હો..) ડો.ભટ્ટાચાર્ય જી નો લોભ છૂટી ગયો…સ્વામી નું ઓપરેશન મફત કર્યું…! નાની અમથી સેવા કરનાર હરિભક્ત ના પણ મનોરથ પૂરા કરે….!
  • ગુરુ વચન માં કોઈ સંશય વગર જોડાઈ જાય….અને ગુરુ આજ્ઞા માં શિર સાટે વચન પાળે….યોગી બાપા એ માત્ર વાત કરી ને સતત ૬૨ વર્ષ સુધી પતરવેલિયા નો ભોજન માં થી ત્યાગ કર્યો….! એમના જીવન માં સદાય આનંદ…ક્યારેય ઉદાસીનતા આવી નથી… વિપરીત સંજોગો માં (ઓસ્ટ્રેલિયા ગોલ્ડ કોસ્ટ માં લિફ્ટ ફસાઈ એ પ્રસંગ)પણ શાંત..સ્થિર રહે…!
  • એમના જ પ્રતાપે આજે અહીં સત્સંગ લીલો પલ્લવ છે…..હજારો નાના બાળકો સત્સંગ દીક્ષા ના સંસ્કૃત શ્લોકો મોઢે કડકડાટ બોલે છે….ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ થયો છે….અતિ શિક્ષિત જુવાનિયા સાધુ થવા આવે છે…..આવા બાળકો એ હજારો લોકો ના વ્યસન છોડાવ્યા છે….અનેકો ને આપઘાત કરતા રોક્યા છે અને સકારાત્મક કાર્ય માં જોડ્યા છે….! અત્યાર સુધી માં મહંત સ્વામી એ લગભગ ૩૫૦ સાધુ કર્યા છે…..PSM શતાબ્દી મહોત્સવ માં ૮૦૦૦૦ થી વધુ સ્વયંસેવકો સ્વામી ના એક પત્રે  ઉત્સાહ થી સેવા કરી….
  • આ બધા પ્રસંગો નો એક જ સાર છે….આપણ ને જે સત્પુરુષ મળ્યા છે…તે પ્રાપ્તિ ના વિચાર પ્રતિદિન કરવા……

પછી જાહેરાત થઈ કે આવતા રવિવારે રાજકોટ મંદિરે સેવા આપતા પૂ.અક્ષર કીર્તિ સ્વામી પ્રવચન નો લાભ આપશે…..આવતીકાલ વડોદરા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રગટયોત્સવ વિશે જાહેરાત થઈ….

Image

આજની સભાનો એક જ સાર હતો…..અનંત જન્મો ના પુણ્ય ફળે ત્યારે આવો સત્સંગ…સત્પુરુષ….ઇષ્ટદેવ મળે…..જે પ્રાપ્તિ થઈ છે તે અમૂલ્ય છે…. બસ એની પ્રતીતિ કરવા ની છે….!! આપણા જેવા ભાગ્યશાળી કોણ??? ચાલો આવતીકાલ ના ઉત્સવ ને નિમિત્ત બનાવી દિવ્ય સ્મૃતિ ને જીવસ્થ કરી લઈએ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા-11/01/26

જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય?

……એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.

———       

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-લોયા 03

આજકાલ અમદાવાદ માં ઠંડી અને સત્સંગ નું જોર ભરપૂર છે….આપણે તો સવાર સાંજ બસ સત્સંગ ને રંગે જ રંગાયેલી હોય છે…..પ્રત્યક્ષ સત્પુરુષ અને એમના થકી પ્રગટ મહારાજ સાક્ષાત હોય ત્યાં સત્સંગ માં ખોટ રહે???? તો ચાલો…આ બધું જેના કારણે છે…જેના અર્થે છે…તેના જીવભરી ને દર્શન કરીએ….

Image
Image
Image
Image
Image

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..મન હરિ માં સહેજે જ જોડાઈ ગયું….એ પછી યુવક દ્વારા ” મરમાળી મૂર્તિ  માવ ની…..” પ્રેમાનંદ સ્વામી રચિત મૂર્તિ નું પદ રજૂ થયું…અને ભગવાન ની એ મનમોહક મૂર્તિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…..કે જેના એક પળ ના દર્શન થી અખંડ સુખ ની છોળો ઉછળતી….! એ પછી એક યુવક દ્વારા ” આ દેહ થી શુ ન થાય રે….પ્રમુખ/મહંત સ્વામી ને કાજે…..” સદગુરુ કોઠારી સ્વામી રચિત પદ રજૂ થયું અને લોયા નું 3 જુ વચનામૃત યાદ આવી ગયું..જેમાં શ્રીજી કહે છે કે…..”જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”……! વાહ….!  એ પછી એક યુવક દ્વારા ” દિવ્ય છે …દિવ્ય છે રે…સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે….” પદ રજૂ થયું. સત્પુરુષ નો જે જીવ ને યથાર્થ સબંધ થયો તે બ્રહ્મરૂપ થયા વગર રહેજે જ નહીં…..જેમ લોઢા ને પારસમણિ સ્પર્શે અને એ હેમ માં બદલાઈ જાય તેમ આ પરિવર્તન થાય છે…! આપણ ને તો આવા સત્પુરુષ સાક્ષાત મળ્યા છે…..બસ એમની પ્રાપ્તિ ની પ્રતીતિ કરવા ની છે…!

એ પછી ઉત્તરાયણ ઝોળી પર્વ નું સુવર્ણ સ્મૃતિ ઓ ના દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..”આ દેહ થકી શુ ન થાય રે…” મધ્યવર્તી વિચાર હેઠળ વીડિયો અને પછી એના પર પૂ. સંતો દ્વારા નિરૂપણ થયું…..જોઈશું સારાંશ ….

  • આપણ ને જે પ્રાપ્તિ થઈ છે ..એની વાત બીજા ને ન કરી શકીએ….તો આપણી પ્રાપ્તિ કાચી કહેવાય…તુજ સંગ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ કાચો….!! આપણા સંપ્રદાય માં શંકર ભગત નો સત્સંગ નો ખટકો ખબર જ છે….! લોકલાજ થી ડરી ને આપણે આવા સર્વપરી સત્સંગ ની વાત કરતા અચકાઈ એ છીએ….જે ન થવું જોઈએ…! બીજું…સત્સંગ ની મર્યાદા માં રહેવાતું નથી….લગ્ન આદિક રિવાજો માં ગજા બહાર ખર્ચ કરાય છે….જે યોગ્ય નથી…! લોકલાજ  નડે છે…સત્સંગ માં આજ્ઞા પાળવા માં…..આપણી આળસ, સંગ ,નિષ્ઠા ની મોળપ. એના માટે જવાબદાર છે…..!
  • નિયમ ધર્મ માં શિર સાટે રહેવું- મહારાજે શિક્ષાપત્રી ની રચના કરી અને સંપ્રદાય ને નિયમ ધર્મ માં વર્તવા નો માર્ગ બતાવ્યો- નિયમ એ વર્તન ને લગતો છે…જ્યારે ધર્મ એ એમ વર્તવા નો માર્ગ છે……બહાર ની ખાણીપીણી ન લેવી એ નિયમ છે તો નિઃસ્વાદી પણુ એ ધર્મ છે….મહારાજ ના સમય માં પણ આવા ભક્તો હતા અને આજે પણ દિલીપભાઈ જોશી , અમેરિકા ના દર્શનભાઈ શાહ, ઓસ્ટ્રેલિયા ના શુભ પટેલ જેવા અનેકો  હરિભક્તો છે કે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય…છતાં  નિયમ ધર્મ માં સહેજે બાંધછોડ કરતા નથી….! એ જ સત્પુરુષ અને ભગવાન ના રાજીપા ની ચાવી છે…
  • ગુરુ નું જ્ઞાન વિશ્વે વધારીએ….દાસાનુંદાસ પણું નિભાવીએ- પ.પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ કહ્યું કે- આપણા સંપ્રદાય માં અનેકો હરિભક્તો થઈ ગયા અને આજે પણ છે કે જેમણે ભગવાન અર્થે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું….લોકલાજ ની કોઈ પરવા કરી નહીં…ઉપાસના જ્ઞાન દ્રઢ કર્યું અને પાકા નિષ્ઠાવાન સત્સંગી થયા…અનેકો ઉપાધિઓ પણ સહન કરી…..શિર સાટે સત્સંગ અને સિદ્ધાંત નો પક્ષ રાખ્યો….પોતાના સ્વભાવ છોડ્યા….વ્યસન છોડ્યા…! સત્સંગ એટલે સત્પુરુષ…..જેના પ્રભાવ થી જગતભર માં આટલું મોટું પરિવર્તન આવે છે….માટે જ એમનામાં સાંગોપાંગ જોડાઈ જવું…..એમની મરજી મુજબ નિયમ ધર્મ દ્રઢ થશે….અને સત્સંગ સફળ થશે…!આપણું જીવન સત્સંગ માં એવું પાકું રાખવું કે બીજા ને આપણ ને જોઈને સત્સંગી થવા ની પ્રેરણા મળે.

ઉપરોક્ત વર્ણવ્યા એવા અમુક હરિભક્તો ના જીવન પ્રસંગો નું વર્ણન એક સંવાદ દ્વારા રજૂ થયું….ગુણાતીતાનંદ સ્વામી ના સમય ના ગોવિંદ ભક્ત નો પ્રસંગ રજૂ થયો…

Image

એ પછી અન્ય એક સંવાદ માં – રઢુના કલ્યાણ દાસ નો પ્રસંગ રજૂ થયો….

Image

એ પછી સભામાં પ.પૂ. સ્વામીશ્રી નું આગમન થયું….અને અન્ય એક સંવાદ માં ગુંદાળી ગામ ના બે હરિભક્તો – મેરામણ અને મામૈયાં પટગર નો શિર સાટે સત્સંગ નો પક્ષ રજૂ ઘયો….

Image

અદભુત…!!

એ પછી અન્ય એક સંવાદ માં સામત પટેલ નો પ્રસંગ રજૂ થયો…..

Image

ગઢડા માં મંદિર નિર્માણ માં ભક્તરાજ સામત પટેલે પોતાનું સર્વસ્વ -ઘરબાર -ધન સંપત્તિ એ મંદિર માટે અર્પણ કર્યું….! અદભુત….

સભા ને અંતે બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- સમર્પણ ભાવ થી ભગવાન ને સમર્પિત થવા નું છે…એ પણ ખુમારી સાથે…તો જ લેખે લાગે…!! બસ…આ જ કરવા જેવું છે….ભગવાન અને સંત અર્થે સર્વે હોમી દેવું….યા હોમ થઈ જવું…..એ જ સમર્પણ ભાવ..! મહિમા સમજ્યા હોઈએ ત્યારે આવો ભાવ થાય…બધું જ થાય…!

એ પછી પૂ. સંતો દ્વારા સ્વામીશ્રી નું હારતોરા થી સ્વાગત થયું….

જાહેરાત થઈ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણ ને દિવસે સવારે 6 થી 8 ઝોળી ઉત્સવ ઉજવાશે…..13 મી એ કેશવ સ્મૃતિ ઉત્સવ ઉજવાશે…સમય સાંજે 5.30……અને 16 મી એ સવારે 10 વાગે બાપા અહીં અમદાવાદ થી સતત બે મહિના સર્વે ને દિવ્ય દર્શન લાભ આપી …અટલાદરા માટે વિદાય લેશે….

આજની સભાનો એક જ સાર હતો……કે જે ભગવાન ના થયા છે …ભગવાન એમનો જ થયો છે….માટે જ આ દેહ…આ જીવ…આપણું સર્વસ્વ એ શામળિયા ને અર્પણ કરી એને જીતી લેવો…..!! એનું જ આપેલું એને આપવા નું છે…..આપણું ક્યાં કાઈ જાય છે..???

આ જ સમજદારી છે…..મોક્ષ નો માર્ગ છે….હરિ જીત્યા નો માર્ગ છે….

જય જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS પ્રતીક પુષ્પોદોલોત્સવ રવિસભા-04/01/26

આજે ઇસવીસન 2026 ની પ્રથમ રવિસભા….એ પણ પ્રત્યક્ષ સત્પુરુષ ના સાનિધ્ય માં….એ પણ ફુલદોલ ની પ્રતીક ઉત્સવ સભા હતી….અહીં તો જીવન માત્ર હરિ રંગે રંગાયેલું છે…..એ જ કેસરભીનો શ્યામ અંતરે વસ્યો છે પછી તો અહીં હરપળ ઉત્સવ કેમ ન હોય…!! એ જ કેસર ભીના શ્યામ ના દર્શન કરીએ અને ઉત્સવ ની શરૂઆત કરીએ……આજ ના રંગભીના દર્શન….

Image
Image
Image
Image

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ….એ પછી યુવકો દ્વારા ફુલદોલ નું જ પદ…સદગુરુ ભુમાનંદ સ્વામી રચિત ” ભર પિચકારી પ્યારો લાગે રંગ…” રજૂ થયું…..અને સમગ્ર સભા રંગ માં જાણે કે સહજ જ રંગાઈ ગઈ….!! સ્વયં શ્રીહરિ ના સમયે ફુલદોલ નો માહોલ કેવો હશે….!! કલ્પના તો કરો….!! પછી જૈમીન વૈદ્ય…ધવલ અને અન્ય યુવક મિત્રો દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમભીનું ” હોરી આઈ રે…આઈ રે…..” નું પ્રસિદ્ધ …જોશીલું પદ રજૂ થયું…..અને જાણે કે મનોચક્ષુ સમક્ષ સારંગપુર મધ્યે રંગો થી રંગાયેલો મારો નાથ…સંતો હરિભક્તો નો સમૂહ છવાઈ ગયો….!!!અદભુત…! એ પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભક્તકવિ શંકર દાસ રચિત “રંગ લાગ્યો મુને રંગીલા રે…..” પદ રજુ થયું…..બ્રહ્મસત્ય…!! અહીં તો જન્મોજન્મ બસ એક એના જ રંગ માં રંગાવું છે….અને એવા તો રંગાવું છે કે એ રંગ રતીભાર પણ છૂટી ન જાય…..!!!! એના સિવાય બીજો કયો રંગ પાકો છે??? કયો રંગ ચડે એવો છે…???

એ પછી ડાંગરવા ગામ ના મહિલા હરિભક્તો એ શ્રીજી સમક્ષ જે ફગવા ગાયેલા…. પ્રાર્થના કરેલી એનો એક વીડિયો દર્શન ના માધ્યમ થી લાભ મળ્યો…….! અદભુત….

એ પછી કિશોરો દ્વારા એક જોશીલું કીર્તન …દાસ શંકર રચિત” એ યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો….” પદ પર નૃત્ય રજૂ થયું….!! વાહ…જોરદાર….અદભુત…!!

એ પછી એક સંત પૂ.ત્યાગમુનિ સ્વામી દ્વારા ” તારું મુખડું જોયુને મેં તો ભાન ખોયું…” વિષય પર પ્રવચન રજૂ થયું….એમણે કહ્યું કે- જગત ના દર્શન થી ભાન ન ભુલાય એ જોવાનું છે….આ તો એનું દર્શન છે કે જેના થી જીવ ના – દુઃખ,રોગ,વિષય ,વિલાપ સર્વે સહેજે છૂટી જાય છે….એના એક પળ ના દર્શન થી અનંત સુખ મળે છે….સર્વે પાપ બળી જાય છે….આપણ ને એવા ભગવાન અને એવા સત્પુરુષ મળ્યા છે….અનેકો ઉદાહરણ છે કે જેમને મહંત સ્વામી ના દર્શન થયા હોય અને વર્ષો જુના વિષય છૂટી ગયા હોય અને અખંડ શાંતિ નો અનુભવ થયો હોય…!

એ પછી પુનઃ એ જ નૃત્ય મંડળી ના ” યોગી આવો તે રંગ..” કીર્તન પર ટૂંકા નૃત્ય પછી પૂ. નિર્મલચરીત સ્વામી દ્વારા ” એક વચને શુ ન થાય..” વિષય ભાવ પર પ્રવચન કરતા કહ્યું કે- આજે એક સંત પૂ. મહંત સ્વામી મહારાજ ના એક વચને 12500 થી વધુ કાર્યકરો એ અમેરિકા માં વિશાલ અક્ષરધામ બનાવી દીધું….80000 થી વધુ કાર્યકરો એ મહા વિશાળ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ને સફળ બનાવી દીધો…!! સત્પુરુષ માટે તો સત્સંગી જ એમની નાત…એ જ સગા…!! એમના ગુણાતીત નિસ્વાર્થ…અસિમિત પ્રેમ થી સૌના હૈયા રંગાયા છે…! કોઈ ભેદભાવ નહીં…કોઈ અપેક્ષા નહીં…સર્વ ના સુખાકારી માટે સતત ચિંતા કરે…એમની સેવા કરી ને રાજી કરવા ની ભાવના કરે…..સર્વ માટે સમાન પ્રેમ…! પણ સામે આપણે પણ એમના હૈયા માં રહેવા એમની આજ્ઞા માં સારધાર રહેવું પડે…!

પછી એજ નૃત્ય અને એ પછી આપણા ગુણાતીત ગુરુઓ એ સારંગપુર મહાતીર્થ સ્થાને ઉજવેલા ભવ્ય ફુલદોલ ઉત્સવ ના વીડિયો દર્શન નો લાભ મળ્યો…….! છેક 1987 થી 2013 સુધી ના દરેક ભવ્ય ફુલદોલ અને કેસર ભીની સ્મૃતિઓ ના દર્શન થયા…!! અદભુત…અદભુત…!!

એ પછી પ.પૂ. સ્વામીશ્રી નું આગમન થયું….એમણે અક્ષરપુરુષોત્તમ મહારાજ ને ફૂલો થી વધાવ્યા…..આરતી કરી …પૂ.ઇશ્વરચરણ સ્વામી અને અગ્રણી સંતો એ સ્વામીશ્રી ને પુષ્પો થી..કલાત્મક હારતોરા થી “ભીંજવ્યા”….વધાવ્યા…!! એ પછી સ્વામીશ્રી એ પોતાના ટૂંકા આશીર્વાદ માં કહ્યું કે- બીજા બધા રંગો ચડે ઉતરે પણ નિષ્ઠા નો રંગ સદાય ચડતો જ રહે ….કદી ઉતરે જ નહીં…!! એ સર્વોપરી રંગ છે….શાસ્ત્રીજી મહારાજે દયા કરી ને આપણ ને આ રંગ આપ્યો છે…કદી ઉતરે જ નહીં….આ રંગ સદાય લાભદાયી રહે…સદાય વધારતા જવું….!

એ પછી સર્વે સંતો હરિભક્તો ને પુષ્પ ની ધાર…વર્ષમાં માં ભીંજાવા નું અવિસ્મરણીય સુખ મળ્યું….!!! 💐💐 અદભુત ….અદભુત…!!

Image

આજ ની સભાનો એક જ સાર હતો- ભગવાન મળ્યા….સંત મળ્યા એટલે અહીં તો હરપળ ઉત્સવ જ છે….બસ આ લીલા ચરિત્રો…કેસર ભીની સ્મૃતિઓ ને હૈયા માં…જીવ માં જડી દેવી…..જેથી જન્મોજન્મ આ અખંડ સુખ નો લાભ મળતો રહે…..જગત ના રંગ ઘુસી ન જાય….!!!

બસ….આપણે તો એક એના જ રંગ માં રંગાવું છે….!!!

જય જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS શાકોત્સવ રવિસભા-28/12/25

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય……

તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”

————-   

વચનામૃત ગઢડા પ્રથમ-3

આજે લગભગ 1 માસ પછી રવિસભા નો પુનઃ લાભ મળ્યો….એ પણ સત્પુરુષ ના પ્રત્યક્ષ સાનિધ્ય માં અને એ પણ શરદ ઋતુ ના ઉત્સવ શાકોત્સવ ના રંગ અને સ્વાદ સાથે…….!!! આજે સવારે જ એ શાકોત્સવ ની સેવા માં અમેં સૌએ લાભ લીધો હતો અને એ જ શાક નો લાભ અમને આજે મળ્યો….!!!!તો એ સૌ સુખ ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન મનભરી ને કરીએ….

Image
Image
Image

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ અને એ પછી એક યુવક મિત્ર નિરવ અને ટીમે શાકોત્સવ પર પ્રેમાનંદ સ્વામી રચિત પદ્ય વૃતાંત ” વળી વખાણું લીલા લોયા ગામની…સુણતાં શ્રવણે પાતક પ્રલ્લે થાય જો” રજૂ કર્યું…….સંપ્રદાય માં શ્રીજીમહારાજે લોયા માં ઉજવેલા ભવ્ય શાકોત્સવ નો દિવ્ય પ્રસંગ ખૂબ જ જાણીતો છે……આજના શાહીબાગ મંદિરે ઠાકોરજી ના દર્શન એ જ હળદર અને મસાલા થી ખરડાયેલા શ્વેત વસ્ત્રો માં થયા…..!! અદભુત દર્શન…અદભુત લાભ….!!

એ પછી 2 અને 3 જાન્યુઆરી 2026 ના રોજ થનાર વિશ્વશાંતિ સત્સંગ દીક્ષા મહાયાગ ના ઉપક્રમે યજ્ઞ ના મહિમા ને સમજાવતો ટૂંકા વીડિયો દર્શન નો લાભ મળ્યો……એ પછી આજના શાકોત્સવ લીલા હેતુ ને વધુ સ્પષ્ટ કરતું એક વચનામૃત ગઢડા પ્રથમ 3- લીલા ચરિત્ર સંભાળી રાખવા…. નું વિડીઓ પઠન …સ્વયં મહંત સ્વામી ના સ્વરે રજૂ થયું….!!

એ પછી “દર્શન-મહિમા ભરી નજરે”વિષય પર પૂ.દિવ્યકિશોર સ્વામી દ્વારા પ્રવચન થયું….એમણે કહ્યું કે( સારાંશ માત્ર) – જે વ્યક્તિ ને જે વિષય વસ્તુ નું આકર્ષણ હોય તેમાં તે રચ્યોપચ્યો રહે….એમાં એને કંટાળો કે થાક ન લાગે….આપણે ભક્ત છીએ તો ભગવાન ની એ જ મૂર્તિ..લીલા ચરિત્ર ને સદાય સંભારી રાખવી…ભગવાન પણ પોતાના ભક્ત ના મનોરથ પુરા કરવા અહીં પધારે છે અને લીલા ચરિત્ર કરે છે.. ….કારીયાણી-5, પંચાળા ના 2 ના વચનામૃત માં એ જ વાત કરી છે…એમાં થી જ આપણ ને અખંડ શાંતિ…સુખ…આપણા પાપ દોષ બળી જાય …અંતઃકરણ શુદ્ધ થઈ જાય…એ આદિક સુખ..મળે છે…દર્શન,પ્રસાદી,વાતું અને મળવું- આ ચાર સુખ સત્પુરુષ આપણ ને આપે છે…એ સુખ નો લાભ લઇ લેવો….!

એ પછી પ.પૂ. મહંત સ્વામી મહારાજ ની મહિમા નું ગાન કરતો એક વીડિયો રજૂ થયો….! અદભુત વીડિયો દર્શન….

એ પછી પૂ. મંગળશ્લોક સ્વામી દ્વારા ” એકાગ્રતા પૂર્વક દર્શન” વિષય પર પ્રવચન નો લાભ મળ્યો…એમણે વાત કરી કે- એકાગ્રતા માટે પૂર્વતૈયારી, વર્તમાન પર સ્થિર ..કેન્દ્રિત રહેવું, એની સાથે સંતુલિત રીતે સંકલન કરવું….! એકાગ્ર થયા વિના કોઈ પ્રાપ્તિ નથી. એ જ વાત વચનામૃત માં કહી છે…કે મને સહિત એકાગ્ર દ્રષ્ટિ એ દર્શન કરવા…પ્રેમાનંદ સ્વામી એ મહારાજ ના ચિન્હ ચિંતામણી ની રચના કરી છે..એ આ એકાગ્ર દર્શન નું ઉદાહરણ છે….સારંગપુર-2 ના વચનામૃત મુજબ દર્શન કરવું…..

એ પછી મહંત સ્વામી મહારાજ ના દર્શન મહિમા નું ગાન કરતા વીડિયો ” ધીરે ધીરે જી…મહંત સ્વામી આપનો નેહડો લાગ્યો રે” નું દર્શન થયું…! અદભુત…!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી દ્વારા પ્રશ્નોત્તરી ના માધ્યમ થી સંવાદ રજૂ થયો…જોઈએ સંવાદ(ઉત્તર)  સારાંશ રૂપે-

  • મોટા પુરુષ માં આપણ ને જેટલું હેત પ્રીતિ, આત્મબુદ્ધિ થાય તો એમનો યથાર્થ મહિમા સમજાય ..તો જ એમની વાતો, દર્શન ,લીલા ચરિત્ર ઇદમ સાંભરી આવે….એનું મનન ચિંતન થાય તો સ્મૃતિ દ્રઢ થાય અને આનંદ આવે..!
  • સત્પુરુષ ના દર્શન માં , શ્રીજીમહારાજે સારંગપુર-2 માં કહ્યા મુજબ એકાગ્ર મને કરી દર્શન કરવા…ગુણાતીત પુરુષ જ આપણા મોક્ષ ના દાતા છે…સર્વસ્વ છે..એવો દ્રઢ વિશ્વાસ અને મહિમા આવે…એનું સતત ચિંતન મનન નિદિદ્યાસ થાય તો મન જગત માં થી છૂટી ને સત્પુરુષ માં સર્વાંગ પ્રકારે જોડાવાય…મન સહેજે જ એકાગ્ર થાય.
  • સત્પુરુષ નો મહિમા ભૂલી ન જવાય તે માટે અંતઃકરણ શુદ્ધ કરવું…જેટલું એ શુદ્ધ થશે એટલો મહિમા વધારે સમજાશે….અંતઃકરણ શુદ્ધ કરવા ઇન્દ્રિય નો આહાર શુદ્ધ કરવો ( ગઢડા પ્રથમ-18, મધ્ય-2) . સત્પુરુષ ની સતત સ્મૃતિ રાખવી..એનો અભ્યાસ કરતા રહેવું…મહિમા સમજતા રહેવું…દ્રઢ કરતા રહેવું
  • યોગીજી મહારાજ  ની સ્મૃતિ- પોન્ડીચેરી માં બાપા એ યોગીબાપા એ વિનુભાઈ ને યાત્રાળુ ઓ ની ટ્રેન ની પ્રદક્ષિણા કરવા ની આજ્ઞા કરી…અને પોતે પણ કરી. શાસ્ત્રીજી મહારાજ જે ટ્રેન ડબા માં બેઠેલા એને બાપા એ દંડવત કરેલા.! …શાસ્ત્રીજી મહારાજ અને નિર્ગુણ દાસ સ્વામી સાથે ટ્રેન પકડવા ,પોટલાં સાથે ભાગમભાગ થઈ એને બાપા લીલા થઈ એમ કહેતા….! શાસ્ત્રીજી મહારાજ નો પડ્યો બોલ ઝીલતા….ગુરુ બોલે અને જોગી દોડે….!! ગુરુ માટે એમનો ભાવ અનન્ય હતો….

પછી સ્વામીશ્રી નું સ્ટેજ પર આગમન થયું અને એમની હાજરી માં….. લોયા માં  મહારાજે જે અદભુત શાકોત્સવ કર્યો હતો એનું તાદ્રશ્ય નિરૂપણ એક સંવાદ દ્વારા થયું…..! અદભુત…અદભુત…..

Image

અંતે સ્વામીશ્રી એ પોતે સ્ટેજ પર શાક બનાવ્યું…સૌને દર્શન સ્મૃતિ આપી….

Image

એ પછી સ્વામીશ્રી એ સર્વે અગ્રણી સાધુઓ ને પોતાના હાથે પત્તર માં રોટલા શાક પીરસી ને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી…..એ પછી પ્રસન્ગોચિત આશીર્વચન માં સ્વામીશ્રી એ કહ્યું કે- આ બધું કેવળ ભગવાન ને કારણે જ થાય છે…સર્વે સત્સંગી માં હેત પ્રીત થાય છે ..સત્સંગ થાય છે….ઉત્સવ થાય છે….એ કેવળ ભગવાન કારણે જ થાય છે…એ ભૂલવા નું નથી…હેત એ સત્સંગ નું ફળ છે…હેત હોય તો દોષ દેખાતા નથી…..જો દોષ દેખાય તો મહારાજ ને એનો ભીડો લાગે છે….માટે સદાય અરસપરસ હેત રાખવું….ભલે અંતર માં દૂર રહીએ પણ હેત છે તો નજીક જ છીએ….!

જાહેરાત થઈ કે- અબુધાબી ના આપણા ભવ્ય મંદિર ને જગતભરના અનેકો એવોર્ડ મળ્યા છે…આ વર્ષે ત્યાંની સરકારે , the best cultural wedding experience 2025  એવોર્ડ આપણ ને મળ્યો છે……પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ એ એવોર્ડ સ્વામીશ્રી ના હાથ માં મુક્યો અને સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી. અત્યાર સુધી માં આ મંદિર ને 6 થી વધુ વિશ્વકક્ષા ના એવોર્ડ મળી ચુક્યા છે….!

આજની સભાનો એક જ સાર હતો- સત્પુરુષ અને ભગવાન ની હાજરી માં થતા ઉત્સવો.એ જલસા નથી…એ..લીલા સ્મૃતિઓ નો હેતુ કેવળ અને કેવળ – જીવ ને પરમ પદ આપવા માટે જ હોય છે. એ લીલા સ્મૃતિઓ જો જીવ માં દ્રઢ થાય તો જીવ સદાય ભગવાન માં અને એ સત્પુરુષ માં જોડાયેલો રહે…..સંસાર માં ખેંચાય જ નહીં….વિષયો માં લોભાય જ નહીં…..પછી હરિ ને અને એ જીવ ને છેટું ક્યાં રહે???

બસ એટલે જ આ પળ… આ સ્મૃતિઓ ને જીવ માં ગૂંથી લેવી….ચોંટાડી દેવી….જડી દેવી….!! સાક્ષાત અક્ષરધામ નો છતે દેહે  આઠે પહોર અનુભવ થાશે…!!!

જય જય સ્વામિનારાયણ….. સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

આજનું કાવ્ય- “ફરીએ છીએ”

મારો એક મોટો ભાઈ છે…..એ પણ મારી જેમ સાહિત્ય રસિક અને કાવ્ય…હાઈકુ ની રચના પુરજોશ માં કરતો અને એક દિવસ જીવન માં યુ ટર્ન આવ્યો……કવિ પરણી ગયો અને સાહિત્ય ની એ સરવાણી…. સરસ્વતી નદી ના વહેણ ની જેમ વિલુપ્ત થઈ ગઈ……!!! હાહાહાહા……..!!! સત્ય ઘટના છે……! જો કે મારી સાહિત્ય સરવાણી લગ્ન પછી જરાક મંદ જરૂર પડી છે પણ સુકાઈ નથી……રીના અને હરિ માટે કવિતા ઓ અલપઝલપ રચાયા જ કરે છે…..

તો ચાલો જોઈએ …એક નવી નકોર …નવેલી કવિતા……મારી કલમે….મારા હૈયે……

નથી અમારા હાથ ખાલી, ખોબા માં દરિયો ભરી ફરીએ છીએ,….O

ઠાલા ઊંઘી રહીએ છીએ ‘રખે માનશો….આંખ્યો માં સપના લઇ ફરીએ છીએ…….O

ભલે ને દુનિયા માને, અમારા ખીસા ખાલી…….
ખાલી ખિસ્સા ઓ માં ખુમારી ના ખજાના લઈ ફરીએ છીએ…….O

જુઓ ને છે રસ્તા વિકટ ને મંઝિલ અજાણી,                             છતાં અમે તો શ્વાસમાં વિશ્વાસનો દીવો લઈ ફરીએ છીએ…….O

Image

નથી આ દોડ ધન-પદ પાછળ, ન ભ્રમ વૈભવ રંગ ના,
હરિ નામ-સ્મરણની શીતળ છાયા સાથે લઈ ફરીએ છીએ…O

સુખ-દુખ તો આવે ને જાય, ડગી ને ભાગી જાય એ બીજા,
હરપળ બસ પ્રભુ પ્રસાદી સમજી, બ્રહ્મ બની ફરીએ છીએ…O

જુઓ તો જીવનમાં દેખાય રપત ઘાણીના બળદ જેવી,
સહજ આનંદ જ જીવન હો “રાજ”, હૈયે હરિ હરપળ લઈને ફરીએ છીએ…O

તો કેવું લાગ્યું મારુ કાવ્ય?????

અહીં તો હરપળ હરિ….પછી આતમ જ્ઞાન ની વાતો…સાહિત્ય ની સરસ્વતી હૈયે થી ક્યાંથી છૂટે…????

બસ ગુલાલ કરતા રહો….જીવન છે….બોજ નથી…!!!

રાજ


Leave a comment

શ્રીમદ ભગવદ ગીતા અને અક્ષરપુરુષોત્તમ દર્શન

આજે મોક્ષદા એકાદશી અર્થાત શ્રીમદ ભગવદ ગીતા જયંતિ……!!! જ્યાં સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે પોતાનું સ્વરૂપ ઓળખાવા બેઠા હોય ત્યાં …એ જ્ઞાન ને ઝીલવા…સમજવા માટે અર્જુન બનવું પડે……..! અર્થાત….ભગવાન ને …પરબ્રહ્મ ને સમજવા…પામવા….અર્જુન….એટલે કે બ્રહ્મ બનવું પડે…..!!! બ્રહ્મ રૂપ થયા વગર પરબ્રહ્મ ની પ્રાપ્તિ શક્ય જ નથી…..!!! અને આ જ્ઞાન ને જ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત…..અક્ષર પુરુષોત્તમ દર્શન કહે છે કે જેના પર સમગ્ર વૈષ્ણવ….સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ઉભો છે….તો આજે ગીતા જયંતિ ને અલગ જ રંગ માં મનાવીએ….

ચાલો ટૂંક માં પરિચય મેળવીએ – ભગવદ ગીતા નો…..

—–

ભગવદ ગીતા મહાભારત ના ભીષ્મ પર્વ ના ૨૫ માં અધ્યાય થી લઈને ૧૮ અધ્યાય સુધી લંબાયેલી છે…..આ અઢાર અધ્યાય માં કુલ ૭૦૦ શ્લોક છે…..જેમાં શરૂઆત અંધ અર્થાત અહં-મમત્વ રૂપી અજ્ઞાન ના પ્રતિક એવા ધ્રુતરાષ્ટ્ર અને સંજય ના સંવાદ થી થાય છે. જેમાં ૧ શ્લોક- ધૃતરાષ્ટ્ર દ્વારા….૪૧ શ્લોક સંજય ના મુખે….૮૪ શ્લોક અર્જુન ના મુખે અને ૫૭૪ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન ના મુખે ઉચ્ચારાયેલા છે…..ગીતા એટલી સમૃદ્ધ છે કે- ભલભલા વિષાદ ગ્રસ્ત..ડીપ્રેસન ગ્રસ્ત જીવ ને અજ્ઞાન માંથી છોડાવી- જ્ઞાન તરફ લઇ જઈ શકે….! ગીતા ને એક આગવું ઉપનિષદ તરીકે ગણી….સ્મૃતિ પ્રસ્થાન માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે…

Image
Image
Image

હવે જોઇએ ગીતા જી ના અધ્યાય 8 અને અધ્યાય 15 માં – અક્ષર પુરુષોત્તમ દર્શન નો આસ્વાદ……!!

ते ब्रह्म तद्रिदु ( ७/२९)

અર્થાત- તેઓ તે બ્રહ્મ ને જાણે છે…..

———————–

અદ્ભુત ઉલ્લેખ…!!!! હવે જોઈએ આઠમો અધ્યાય…..તે બ્રહ્મ શું છે??? તેવા પાર્થ ના પ્રશ્ન માં શ્રીહરિ કહે છે

अक्षरं ब्रह्म ( ८/३)

અર્થાત- અક્ષર એ બ્રહ્મ છે……

આમ અક્ષર એ બ્રહ્મ નું નામ જ છે…..જેને આપણે સાથે મેળવી- અક્ષરબ્રહ્મ પણ કહીએ છીએ…..

અક્ષર નો મહિમા સમજાવતા શ્રી ભગવાન કહે છે…

यद् अक्षरं वेदविद:वदन्ति विशन्ति यद् यतयः वीतरागा: I

यद् इच्छन्त: ब्रह्मचर्य चरन्ति तत् ते पदं संग्रहेण प्रवक्ष्ये II (८/११)

અર્થાત- વેદો ને જાણનારા વિદ્વાનો પણ જેનું પ્રતિપાદન કરે છે , આસક્તિ વિના ના સંયમીઓ જેમાં પ્રવેશ કરે છે , અને જેને ઇચ્છનારા ઓ બ્રહ્મચર્ય નું પાલન કરે છે ..એવું આ અક્ષર દિવ્ય સ્થાન છે….તે સ્થાન વિષે હું ટૂંક માં કહીશ….

अव्यक्तोऽक्षर इत्य्युक्त्स्त्माहु: परमांगतिं

यं प्राप्य न निर्वतन्ते तद्धाम परमं मम ( ८/२१)

અર્થાત- જે અવ્યક્ત ભાવ….અક્ષર સંજ્ઞા ( શબ્દ) થી પ્રસિદ્ધ છે તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે …જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી પુનઃ પાછા આવતા નથી ..તે જ મારું પરમ ધામ ( અક્ષરધામ) છે…..


અધ્યાય- ૧૫ માં અધ્યાય- પુરુષોત્તમ યોગ માં – પુરુષોત્તમ તત્વ વિષે વિશેષ છણાવટ નો લાભ અહી લેશું….સાથે સાથે અક્ષર અને પુરુષોત્તમ તત્વ ના ભેદ વિષે પણ જાણીશું….

સર્વ પ્રથમ જાણી એ જીવ અને અક્ષર વચ્ચે નો ભેદ…

द्वौ इमौ पुरुषौ लोके क्षर: च अक्षर: एव च

क्षर: सर्वाणि भूतानि कुटस्थ: अक्षर: उच्चते ( गीता-१५/१६)

અર્થાત- આ લોક માં બે પ્રકાર ના ચેતનો છે..એક તો ક્ષર અને બીજા અક્ષર…તેમાં હમણાં કે પહેલા જેને પણ માયા નું બંધન થયું છે તે બધા જ આત્મા ઓ ને ક્ષર કહેવામાં આવે છે….અને કૂટસ્થ કહેતા નિર્વિકાર..સદાયે માયા થી પર છે તે અક્ષર છે……

હવે એવા અક્ષર અને તેના થી પર એવા પુરુષોત્તમ વચ્ચે નો ભેદ જોઈએ…શ્રીકૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે…..

उत्तम: पुरुष: तु अन्य: परमात्मा इति उदाह्यत:

यस्मात् क्षरं अतीत: अहं अक्षराद अपि य उत्तम:

अत:अस्मि लोके वेदे च प्रथित:पुरुषोत्तम : II ( १५/१७-१८)

અર્થાત- ઉત્તમ પુરુષ તો જુદા જ છે જેને પરમાત્મા કહેવામાં આવે છે . હું ક્ષર થી પર છું અને અક્ષર થી પણ પર છું એટલે લોક માં અને વેદ માં પુરુષોત્તમ કહેવાઉ છું…..

————

આ જ અધ્યાય માં એટલા માટે તો શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે….

सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो मत्त: स्मृतिर्ग्नानांपोहनं च

वेदैश्र्च सर्वैरहमेव वेध्यो वेदान्तकृद्रेदविदेव चाहं ( १५/१५)

અર્થાત- ..હે પાર્થ..વળી હું સર્વ ના હૃદય માં રહેલો છું મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંને નો અભાવ ઉત્પન્ન થાય છે…..સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું…..વેદાંત નો સિદ્ધ કરનાર અને જ્ઞાતા પણ હું જ છું….

यो मामेवंसमुढो जानाति पुरुषोत्तमम

स सर्वविद्वजति मा सर्वभावेन भारत ( १५/१९)

અર્થાત- હે ભારત..!!! જે સમોંહ થી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ જાણે છે ..તે સર્વજ્ઞ છે…..અને તે સર્વ ભક્તિ યોગ થી મને ભજે છે…….

અદ્ભુત વાત……….ટૂંક માં સાર જોઈએ તો સમજાય કે…..ક્ષર અને અક્ષર એ પુરુષ ( અર્થાત ચેતન) તત્વ છે…..અને જીવ, ઈશ્વર અને માયા થી પર અક્ષર છે…તો અક્ષર થી પણ પર એવા પુરુષોત્તમ નારાયણ છે…..અને એને જાણવું જ જ્ઞાન કહેવાય……એવા પુરુષોત્તમ ને રદયમાં ધારી સમોંહ રહિત થઇ જે તેમણે નિરંતર ભજે છે….તે જ સર્વજ્ઞ છે..બ્રહ્મ રૂપ છે…..!

માટે અક્ષર પુરુષોત્તમ ને સમજી..એમના મહિમા ને જાણી ને ભક્તિ યોગ કરવા થી ….જીવ અક્ષર ના સામર્ધ્ય ને પામે છે….

સત્સંગ દીક્ષા ગ્રંથ ની જેમ શ્રીમદ ભગવદ ગીતા નો પણ મુખપાઠ ઘરેઘર કરાવવો જોઈએ……શુ કહો છો?????

જય જય અક્ષર પુરુષોત્તમ…..જય જય સ્વામિનારાયણ….


Leave a comment

BAPS સત્પુરુષ સ્વાગત રવિસભા-23/11/25

સત્પુરુષ ના સંકલ્પો પૂર્ણ ઘાય…થાય અને થાય જ…..!!!!”

આજે અમદાવાદ ને આંગણે સત્પુરુષ સાક્ષાત ઉપસ્થિત હતા અને આવનારા બે માસ એ અહીં દર્શન સેવા લાભ આપવા ના છે…..અમદાવાદીઓ ને બસ લાભ જ લાભ છે….અને એ મનભરી ને લૂંટવો જ છે……અને એ ય મફત છે…..સસ્તો સહજ અને નમતો છે……પછી બાકી શુ રહે??? તો શરૂઆત સર્વે કારણ ના કારણ ના દર્શન થી…

Image
Image
Image
Image
Image
Image

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન દ્વારા થઈ….મન સભા..સ્થળ બધું હરિનામ માં એકાકાર થઈ ગયું….એ પછી આપણા સંપ્રદાય ના પાયા નું કીર્તન ” આજ મારે ઓરડે રે….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ બાળકો એ રજૂ કર્યું…..!! અદભુત પદ…અદભુત શબ્દો…અદભુત ગાન….!! હરિ નું સર્વે સુંદર છે…..!! એ પછી યુવકો એ સ્વાગત ગાન રજૂ કર્યું…….સત્પુરુષ અંતર ને આંગણે બિરાજશે તો એમની સાથે હરિ પણ સહજ જ બિરાજશે…..!!!

Image

એ પછી સદગુરુ પૂ. વિવેકસાગર સ્વામી એ પ્રસન્ગોચિત પ્રવચન માં વાત કરી કે- (જોઈએ સારાંશ) આ જગત પાંચ અનાદિ તત્વો થી બનેલું છે….ભગવાન ના સંકલ્પ થી આ રચાયેલું છે….ભગવાન પોતે યુગે યુગે અવતાર ધારણ કરી અહીં પધારે છે…..નિત્ય,પ્રાકૃતિક અને આત્યંતિક/નૈમિતિક પ્રલય થાય છે અને કાળક્રમે સંકલ્પ મુજબ નવસર્જન થાય છે…..4 પુરુષાર્થ આપી મનુષ્ય ને ઉન્નતિ નો માર્ગ બતાવ્યો….આ બધાનો વિચાર કરી આત્યંતિક કલ્યાણ નો માર્ગ બતાવવા શ્રીજી મહારાજે વેદોક્ત દર્શન…..બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ ની ભક્તિ કરવી -એ અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું…..માટે ભગવાન જ અહીં પ્રગટ છે…એમના આપેલા ધર્મ નિયમ છે માટે જ આપણી સંસ્કૃતિ અનેકો આક્રમણ છતાં જીવંત છે ….ઉન્નત છે……ભગવાન ની લીલા સમજવી અઘરી છે…..માટે જ પ્રત્યક્ષ ભગવાન હોય તો પણ ન ઓળખાય…ન મનાય….!!! માટે જ મહારાજે અહીં પ્રગટ થઈ લીલાઓ કરી….સત્સંગ કરાવ્યો….સંત શાસ્ત્રો અને મંદિરો કરાવ્યા….પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું…. પોતાની મૂર્તિ જ વડતાલ માં સ્થાપિત કરી….અનેકો વિઘ્નો આવ્યા પણ પોતાના સંકલ્પ મુજબ જીવમાત્ર ને કલ્યાણ નો માર્ગ પોતાના સિદ્ધાંત, સંત, શાસ્ત્રો મંદિરો દ્વારા પ્રશસ્ત કર્યા….ગુણાતીત દ્વારા સદાયે પ્રગટ રહેવા નું વર આપ્યું…..એ જ ગુણાતીત ગુરુ પરંપરા આજે પણ વિદ્યમાન છે અને રહેશે….!!! બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આદિક ગુણાતીત ગુરુઓ એ અપાર કષ્ટ સહન કર્યા અને આપણી સંસ્થા ને દેશ વિદેશ માં પ્રસરાવી…..આજે જુઓ….અને આવનારા સમય માં સત્સંગ અનેકો ઘણો વધશે જ..ભગવાન ના મત્સ્ય અવતાર ની જેમ…!! અમદાવાદ ની આંબલી વાળી પોળ એ આ ઇતિહાસ નું કેન્દ્ર છે…સમજી રાખવું…! આપણું અંતર પણ અક્ષરધામ થાય ત્યારે સત્સંગ થયો છે એમ જાણવું…! પૂ.વિવેકસાગર સ્વામી ની અસ્ખલિત વાણી એ સંસ્થા નો સુવર્ણ ઇતિહાસ વહેતો ગયો……!!! અદભુત…રસપ્રદ…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પણ પોતાના પ્રવચન માં કહ્યું કે- આજે દેશ વિદેશ માં આપણા ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ થી સત્સંગ ફેલાયો છે…..આફ્રિકા થી લઇ જગત ના ખૂણે ખૂણે …લાખો ઘરો માં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજી ગયા….મોટા પુરુષ ના સંકલ્પો સિદ્ધ થાય ..થાય અને થાય જ…!! આપણે એમની આજ્ઞા માં રહી…સાચા સત્સંગી બનશું તો કોઈ વિઘ્ન આવશે નહીં….! આજ્ઞા માં સારધાર રહેવું…આપણા ગુરુઓ એ પોતે એમના ગુરુ ની આજ્ઞા માં રહી ને….આપણ ને એમ રહેવા સંદેશ આપ્યો છે. આજ્ઞા નો મહિમા મોટો છે….શિર સાટે આજ્ઞા પાળવી….

એ પછી જે ઘડી ની ઉત્કંઠા થી રાહ જોવાતી હતી તે ઘડી આવી…..પ.પૂ. મહંત સ્વામી મહારાજ નું આગમન થયું….એમના દર્શન થી સમગ્ર સભા ઉત્સાહ માં આવી ગઇ…..સંવાદ…નૃત્ય ગાન… ફુલઝરીઓ ની સાથે બાપા નું સ્વાગત થયું…..! અમદાવાદ ના આંગણે છેક 1981 થી અત્યાર સુધી ઉજવાયેલા આપણી સંસ્થા ના ભવ્ય સમૈયા રૂપી ભેટ બાપા ને આપવા માં આવી….! પૂ.સંતો અને આજીવન સેવકો દ્વારા હારતોરા થી સ્વાગત થયું…….સ્વાગત નૃત્ય અદભુત હતું……સમગ્ર સભા ડોલી ઉઠી…..!!

Image

સભાને અંતે બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ 3 માં – ભગવાન ની લીલા ચરિત્ર ને સંભારી રાખવા ની વાત કરી છે……અંતકાળે જેના સાંભર્યાં થી….. સ્મૃતિ માત્ર થી .જીવ પરમ પદ ને પામે છે – આપણે તો યોગીબાપા, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મોટા પુરુષ મળ્યા છે …તેમની સ્મૃતિ કર્યા કરવી….સર્વે હરિભક્તો સંતો સાથે હેત રાખવું….જેમનો હેત અંતકાળે ભગવાન ની મૂર્તિ ભૂલી જઈએ છતાં એમના લીલા ચરિત્ર સંભાળી રાખવા માં મદદ કરે…..તો ય પરમ પદ મળે…! અતિ કઠિન જેની પ્રાપ્તિ છે એવું ભગવાન નું ધામ તે જીવ ને મળે છે…..!

એ પછી સ્વામીશ્રી સાથે યજમાનો દ્વારા આરતી નો લાભ સર્વે ને મળ્યો……

આજની સભા નો એક જ સાર હતો- જ્યાં સત્પુરુષ છે ત્યાં જ ભગવાન છે…અને જ્યાં ભગવાન છે ત્યાં જ ધર્મ છે…જ્ઞાન છે…કલ્યાણ છે….જયજય કાર  છે…..!!!

વિચારો- અત્યારે આવા પુરુષ ક્યાં છે??? સત્સંગ ક્યાં સદાયે નવપલ્લીત…. વધતો છે…??? બસ , ઉત્તર મળશે એટલે જીવ આપોઆપ જ એ સત્પુરુષ માં સહેજે જોડાઈ જશે…..!

જય જય સ્વામિનારાયણ

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ