હમણા થોડા દિવસ પહેલા યુકે થી દીકરી તેના પરિવાર સાથે આવી હતી. ઘર ભરેલુ ભરેલુ લગતું હતું. ચારે બાજુ તેના સામાનના મોટા મોટા બેગડા અને વધારામાં ભારતની ખરીદીના ખોખાં અને પ્લાસ્ટીકની થેલીઓ. નાનકડા ઘરમાં ચાલવા માટે જગ્યા કરવી પડતી હતી. મળવા આવનારાઓની વણઝાર, સમય ક્યાં જતો રહ્યો તેની જાણ જ ન થઈ. અઠવાડીયામાં ઘર ખાલી થઈ ગયું. બસ ‘હુતો-હુતી’ આ ખાલી ઘરમાં ‘ખાલીપો’ અનુભવતા રહી ગયા.
ભર્યું ભર્યું લાગતુ મન પણ હવે ખાલીપો અનુભવે છે.
આખું ભરેલું હતું, હવે ખાલી લાગે છે. કશુંક ગુમાવ્યાનો અહેસાસ છે.
મનનો કોઈ ખુણો ખાલી થાય અને તેને પાછો ભરવા માટેની કોઈ લાગણી પણ ન થાય. એવું લાગે કે ખાલી કરનાર ત્યાં યાદોની અમીટ છાપ છોડીને ગયું. એ છાપ ભુસવાનો પ્રયત્ન કરવાની ઇચ્છા પણ ન થાય. ક્યારેક એ જ યાદો એકલતામાં મમળાવવામાં આનંદ આવે. એટલી ક્ષણો જીવંત બની જાય.
કોઈ સ્વજનના મૃત્યુ પછી પણ આવું થાય.
નોકરી કરનાર રીટાયર્ડ થાય ત્યારે પણ સહકર્મચારીઓની યાદો આવા…
View original post 128 more words
